| સાલા એક મચ્છર અપને દેશ કે પ્રોબ્લેમ સુલ્જા સકતા હે . . . !!! |
દેશ માં મચ્છરો નો ઘણો જ ઉપદ્રવ છે, . . . અને દર વર્ષે મલેરિયા ના કારણે કદાચ હજારો માણસો મૃત્યુ પામતા હશે. . .
પણ આપને અત્યારે બીજી ઘણી મોટી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છીએ જેવી કે : ગરીબી, ભ્રષ્ટાચાર, કૌભાંડ, મોંઘવારી, ડૂબતો રૂપિયો, અને બીજા પણ ઘણા જ પ્રોબ્લેમ છે જેના તરફ મધ્યમ માણસો નું ધ્યાન હંમેશા ખેચાતું રહે છે અને સતત ચિંતા સતાવતી રહે છે. . .
પણ, આજ સુધી મચ્છરો પર ઉગ્ર લેવલે કોઈ ચર્ચા પત્રો બહાર પડ્યા નથી, કે તેમાં વિષે અખબાર માં પણ કઈ વિશેષ છપાતું નથી, હજારો માણસો ની જાન લેવા છતાયે મચ્છરો હજી એ મોસ્ટ વોન્ટેડ લીસ્ટ માં આવ્યા નથી. . . કેટલો બધું પ્લાન્નીંગ કરવું પડે છે, કેટલો સંઘર્ષ કરવો પડતો હશે મચ્છરો ને. . . અને એટલે જ મચ્છરો પોતાને ખુબ જ નાકામા સમજી રહ્યા છે. . . પણ ઉપરવાળા ને ત્યાં દેર છે પણ અંધેર નથી. . . છેવટે ભગવાને (ઉફ્ફ, સોંરી . . . રાહુલ ગાંધી અને મોદી એ . . . ) મચ્છરો ની સામું જોયું છે. . .
અને એટલે જ આજ-કાલ મચ્છરો ચર્ચા માં છે. . . આભાર આપણા નેતાઓ નો : -
હમણાં જ સતત રડવા માટે જાણીતા રાહુલ ગાંધી એ જણાવ્યું છે કે : " તેને બુન્દેલખંડ માં ખુબ જ મચ્છરો કરડયા. . . "
( . . . સાલ્લુ, એક સામાન્ય માણસ તરીકે આપને જાહેર માં આવી ચર્ચાઓ કરતા ક્યારે સીખીશું??? )
વિશેષ ટીપ્પણી માટે જાણીતા મોદીએ જણાવ્યું કે : " બુન્દેલખંડ ના એ મચ્છરો ને સલામ છે, તેમને રાહુલ ગાંધી નું લોહી ચૂસ્યું. . . . મચ્છરો ને ઘણી જ ટ્રેન્નીંગ આપવામાં આવી છે, તેમને ખબર છે કે કોનું લોહી ચૂસવા જેવું છે. . ."
મચ્છરો ખુશ છે કે છેવટે તેમની નોંધ અને ચર્ચાઓ રાષ્ટ્રીય લેવેલે થઇ રહી છે. . .
ગરીબી, ભ્રષ્ટાચાર, કૌભાંડ, મોંઘવારી, ડૂબતો રૂપિયો, અને બીજી પણ ઘણી બધી સમસ્યાઓ દેશ ની સામે છે છે પણ કદાચ એ ઘણી મોટી છે . . .
દેશ ની જનતા હરખાઈ રહી છે કે નેતાઓ હવે દેશ ના લોકો ની મૂળભૂત અને નાના માં નાની સમસ્યાઓ તરફ ધ્યાન આપી રહ્ય છે . . . લોકો આ જાણી ને ખુશ થાય છે કે આજે નાની સમસ્યાઓ ની ચર્ચા થશે, પછી તેમનું સોલ્યુસન આવશે, . . . પછી મોટી સમસ્યાઓ ચર્ચાશે. . . અને કદાચ ઉકલાશે . . .
વાહ-વાહ. . . !
વિચારો દોસ્તો આ બધી સમસ્યાઓ ના નિરાકરણ નું મૂળ એક મચ્છર થી સરું થશે. . . .
સાલા એક મચ્છર અપને દેશ કે પ્રોબ્લેમ સુલ્જા સકતા હે। . . . !!!
# ચૂંટણી : 2014
No comments:
Post a Comment