Sunday, 24 November 2013

ધ ગ્રાન્ડ ઇન્ડિયન આર્ટીફીસીયલ કોન્સ્પીરસી શો

 દર વખતે એક જ વાત. . . .
તમને આ ક્યારેય સમજાયું છે ?

બોસ, મને તો આજ સુધી સમજાયું નથી : કૌભાંડ માં ઝડપાયેલા બધા પોતાને નિર્દોષ જ કેમ જાહેર કરતા હોય છે?

. . . અને કહેવાતા કૌભાંડો તેમના વિરુદ્ધ ના કાવતરા જ કેમ લાગતા હોય છે,?

. . . અને આપણે સામાન્ય જનતા તરીકે નાહક ની ચિંતા કેમ કર્યા કરતા હોઈએ છીએ. . . ?

જેમ કે નીચેના કેસ તમે જોયા અને સાંભળ્યા જ હશે : -

1. કોઈ પણ મોટા હોદ્દા પર નો માણસ કોઈ કૌભાંડ માં ઝડપાય એટલે પોતાની સ્પષ્ટતા માં એક જ વાત કેમ કરતો હશે : " આ વિરોધીઓ દ્વારા કરાયેલું કાવતરું છે. . .  , મને ફસાવવામાં  આવી રહ્યો છે." ( . . .જાણે કે આખી દુનિયા એની વિરુદ્ધ માં હોય, અને એની વિરુદ્ધ કાવતરા કરવાની રાહ જ જોઇને બેઠા હોય . . .  !)

2. કોઈ મોટો રાજકારણી પણ જો કોઈ કૌભાંડ કે ખોટા કેસ માં ઝડપાય તો તરત જ તેની પ્રતિક્રિયા આવી જ હશે : " આ તો વિરોધ પક્ષ ની સાઝિશ છે, હું નિર્દોષ છું. આ વિરોધીઓ દ્વારા કરાયેલું કાવતરું છે. . .  , મને ફસાવવામાં  આવી રહ્યો છે."

3. આવી જ રીતે જો કોઈ સ્ત્રી કોઈ કેસ માં ઝડપાય તો તરત જ મોટા ભાગે એક સુર ( સસુર નહિ યાર . . . !) રહેતો હોય છે : " આ એક સ્ત્રી તરીકે મારે સહન કરવું પડે છે, એક સ્ત્રી વિરુદ્ધ આ એક પુરુષ દ્વારા કરાયેલું કાવતરું છે. . . " ( જાણે કે સ્ત્રી વિરુદ્ધ કાવતરું કરવું એ પુરુષ નો જ એક માત્ર સાર્વત્રિક ધર્મ ના હોય . . . !)

4. કોઈ ટીવી ચેનલ વાળો ખરાબ કામો માં કે કૌભાંડ માં ઝડપાય તો તરત જ એક ટેગ લાઈન જોવા મળશે : " આ તો અમારી વિરોધી ચેનલ દ્વારા કરાયેલું કાવતરું છે. . . , પણ અમે નિર્દોષ છીએ. " ( . . . અમે તો આખું વર્ષ સારા જ કામો કરીએ છીએ, એટલે આખી દુનિયા છોડી ને બસ સામેના ટીવીવાળા જ અમારા એક માત્ર દુશ્મન છે. . . !)

5. કોઈ છાપા વાળો ખરાબ કામો માં કે ખોટા કૌભાંડ માં ઝડપાય તો તરત જ એક ન્યુઝ લાઈન છાપેલી જોવા મળશે : " આ તો અમારા વિરોધી અખબાર  દ્વારા કરાયેલું કાવતરું છે. . . , અમે નિર્દોષ છીએ. " ( . . . અમે તો આખું વર્ષ સારા જ કામો કરીએ છીએ, એટલે આખી દુનિયા છોડી ને બસ સામેના છાપાવાળા જ અમારા એક માત્ર દુશ્મન છે. . . !)

6. હવે નો મુદ્દો જરા નવો છે, એટલા માટે કે તે આજે જ પ્રકાશ માં આવ્યો છે. ( તમે કહેશો : કે અત્યાર સુધી આ મુદ્દો અંધારામાં કેમ હતો? )  હવે થી કોઈ પણ બળાત્કાર નો આરોપી એવું કહી સકે છે : " આ તો અમે બંને એ સમજીને આચરેલું કૃત્ય છે. . . " અને પછી આવા આરોપીઓ તમારી પાસે એવા પૂરાવા માંગશે કે જેનું અસ્તિત્વ જ ના હોય . . . !

અને, જાહેર જનતા આ ધ ગ્રાન્ડ આર્ટીફીસીયલ કોન્સ્પીરસી શો ચૂપ ચાપ જોતી રહે છે : જનતા ઘણી જ કન્ફયુઝ થઇ જાય છે. જનતા ને તો બિચારી ને ખબર પણ પડતી નથી કે - આ બધું થઇ શું રહ્યું છે?

પણ, આ બધા ક્લીયર કટ કૌભાંડીઓ હંમેશા પોતાને નિર્દોષ કેમ જાહેર કરતા હશે? મને તો આજ સુધી સમજાયું નથી. . . !

તમને આ ક્યારેય સમજાયું છે ?

# ધ ગ્રાન્ડ ઇન્ડિયન આર્ટીફીસીયલ કોન્સ્પીરસી શો - 2013

: Nimesh 24.11.2013, Sunday

No comments:

Post a Comment