Sunday, 16 November 2014

અત્ર-તત્ર-સર્વત્ર : એક જ પ્રોબ્લેમ



ટુ બી ઓર ટુ નોટ ટુ બી . . . . ?

અમિતાભ બચ્ચન ની આત્મકથા નું નામ છે " ટુ બી ઓર ટુ નોટ ટુ બી" - " હોવુ કે ના હોવુ "

જીવન ની સમસ્યા એજ છે કે આપણું હોવું, . . .  તમે છો એટલે જ સમસ્યા છે,. . . તમે નથી તો પછી કંઈ જ નથી . . . .!!

હવે ગૌતમ ગંભીર ના બનો, આ તો એક વાત છે એમાં આટલા સીરીયસ બની જવાની જરૂર નથી . . . . સમસ્યા ફક્ત તમારા કારણે જ નહિ ઘણી વાર મારે કારણે પણ હોઈ શકે છે. . . ( પણ યુ સી એવું ભાગ્યે જ બનતું હોય છે. . . !!)

વેલ, તમે સાંભળ્યું? -

" વડાપ્રધાન પોતે પણ સુતા નથી અને બીજા ને પણ સુવા દેતા નથી . . . " - શ્રીમાન વૈકૈયા નાયડુ

/ / /

ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ નો પ્રોબ્લેમ અલગ હતો - મંત્રીઓ દિવસે ભ્રષ્ટ આચાર માં સતત વ્યસ્ત રહી ને રાત્રે થાકી ને સુઈ જતા હતા  . . . અને મનમોહન સિંહ પોતે પણ ચિંતા કરી કરી ને થાકી ને સુઈ જતા હતા. . . . એકલા જાગી ને શું કરે?

* * * * *
" ખાતો નથી અને ખાવા દેતો નથી . . . ."
" ખાતો નથી અને ખાવા દેતો નથી. . . ."

(. . . અને છતાંયે  ગુજરાત માં ભ્રષ્ટાચાર તો કેગ ના અહેવાલો માં થેલા ભરી ભરી ને દેખાય છે. . . એવું ચમ નું લ્યા ? સોચો દયા સોચો . . . !! )

- ગુજરાત નો આ કોયડો વણ ઉકેલ્યો છે અને નિરાશા સાથે કહેવું પડે છે કે કદાચ ઉકેલ ના પણ મળે . . . .!

" ખાતો નથી અને ખાવા દેતો નથી. . . ." - ગુજરાત માં આ સૂત્ર બહુ જ ગાજ્યું હતું પણ હવે સાહેબ ના ગયા પછી બધા ગોટલા બહાર આવવા માંડ્યા છે એટલે ગુજરાત ની જનતા ને ખબર પડી રહી છે કે બે યાર, આ તો કેટલાનું થઇ ગયું એજ ખબર ના પડી. . .  - હશે ભાઈ,  પોતે નહિ જ ખાતા હોય પણ બીજા ને ખાવા દીધું છે એનું શું? કદાચ પોતે ઉપવાસ રાખતા હોય પણ બીજાને તો પેટ હોય ને ભઈલા  . . . !!

વેલ, વાત અહી એ નથી કે કોણે ખાધું અને કોણે ના ખાધું?

અત્ર-તત્ર-સર્વત્ર : એક જ પ્રોબ્લેમ . . . . 

યુ સી, છેવટે રાજકારણ માં બધા ખાવા માટે જ આવતા હોય છે એમ માનીને દેશ ની જનતા ખુશ થઇ હોય છે , આપણે પાછા બહુ સંતોષી જીવ, નાની અમથી વાત માં પણ સમજી જઈએ. . . .!!

પણ આજે શ્રીમાન વૈકૈયા નાયડુ એ જણાવ્યું છે કે વડાપ્રધાન પોતે પણ સુતા નથી અને બીજા ને પણ સુવા દેતા નથી . . . આજે પત્રકારો ને સંબોધતા તેમણે આ વાત જણાવી હતી કે વડાપ્રધાન ની ખુબ જ પક્કડ છે આ મંત્રી મંડળ પર. . . . !! અને બધા પાસે ખુબ જ કામ કરાવવામાં આવે છે. . . !

ભવિષ્ય માં એવી અફ્વાઓ પણ આવે કે અમારા વડાપ્રધાન રોબટ છે તો નવાઈ નહિ. . . . !!

દેશ ની જનતા ને આ જાણી ને ખુબ જ આનંદ થાય એ સ્વાભાવિક છે કે ચાલો સારું કહેવાય કે વડાપ્રધાન જાગે તો છે ને. . . . જાગશે તો કંઈક કામ તો થશે. . . !! આપણી આશાઓ પણ હવે મારી પરવાડી છે એવું તમે કહી શકો . . .!!

પણ ધ્યાન થી ચિંતન કરવામાં આવે તો જીવન ની બધી સમસ્યાઓ નું મૂળ તમને આ જ વાક્ય માં દેખાઈ શકે. . . . કેટલી ગહન વાત છે આ  . . . કેટલું ઊંડાણ છે આ વાત માં. . . . ( હવે માપ પટ્ટી લેવા ના જશો. . . . માપવાની જરૂર નથી. . . .!!) કહેવાય છે કે જીવન ની મહાન વાતો ને સમજતા - સમજતા આપને ઘરડા થઇ જતા હોઈએ છીએ. . . ( ગભરાશો નહિ આ હજુ એટલી ગહન વાત નથી કે ફક્ત વાંચતા વાંચતા જ તમે ઘરડા થઇ જાઓ. . . !!)

જેમ કે આ બાબત ને લઈને અમે કેટલાક મહાનુભાવો ને પૂછ્યું તો અમને પણ નવાઈ લાગી કે આ વાત આટલી ગંભીર અને અખાણવા ( ના વખાણવા લાયક??? ) લાયક છે.

* * * * *

" ધરણાં કરતો નથી અને કરવા દેતો નથી. . . "

"દિલ્હી માં મુખ્યમંત્રી બનતો નથી અને બીજા ને બનવા દેતો નથી. . ."

શ્રીમાન કેજરીવાલ નું કહેવું છે કે તેમણે પોતે પણ જીવન માં આવી સમસ્યાઓ સહન કરી છે. તેમણે પોતાને ઘણી વાર ધરણાં કરવા હોય છે પણ તેમના મિત્રો તેમને તેમ કરવા દેતા નથી. . . .!!

* * * * *

વેલ અત્યારે દેશ નો મહાન પક્ષ પણ આજ સમસ્યા થી પસાર થઇ રહ્યો છે કેટલાક કોન્ગ્રેશ કાર્યકરો સાથે વાત કરતા અમને આજ વાત સંભાળવા મળી  -

" પોતે બોલતો નથી અને બીજાને બોલવા દેતો નથી. . . "

" પોતે પક્ષ નું સુકાન હાથ માં લેતો નથી અને બીજાને હાથ માંલેવા દેતો નથી. . . ."

" પોતે પરિવર્તન લાવતો નથી અને બીજાને ને પરિવર્તન લાવવા દેત નથી. . . "

. . . .  કહેવાની જરૂર નથી કે આ મિત્રો રાહુલ ગાંધી ની વાત કરી રહ્યા છે. . . . !!

પ્રિયંકા ગાંધી એ તો ત્યાં સુધી કહ્યું છે " પોતે પક્ષ પ્રમુખ બનતો નથી અને મને બનવા દેતો નથી. . . "

પક્ષ ના મહાન નેતાઓ તો નામ નહિ આપવાની શરતે એવું પણ કહે છે બાબા એ ફક્ત આજ બાબત નું ધ્યાન રાખવાનું છે નહિ તો નુકશાન પણ બાબાએ જ ભોગવવું પડશે . . . !!

* * * * *

બપ્પી લહેરી ના કુટુંબ ના સભ્યો પણ આજ કહે છે કે - " ઘરેણાં પહેરતો નથી ને બીજા ને પહેરવા દેતો નથી. . . "

- બોલો હવે આમાં આપણા થી શું થઇ શકે?

* * * * *

હાય સાલ્લા, પોતે એકલો હટ ફિલ્મ આપતો નથી અને બીજા ને આપવા દેતો નથી. . . . " - અમિતાભ બચ્ચને એક વીશેસ વાત માં જણાવ્યું હતું।


* * * * *

" ફડનવીસ ભાઈ પોતે તો ખાતો નથી અને મને પણ ખાવા દેતો નથી. . . સમોસા અને વડાં પાંવ . . . " - નીતિનભાઈ ગડકરી એ વડાપ્રધાન ને કરેલી ફરિયાદ માં જણાવવામાં આવ્યું છે.

* * * * *

" પોતે તો રમતો નથી અને મને રમવા દેતો નથી. . .  " - ધોની વિષે રોહિત શર્મા એ પોતાની વ્યથા ફક્ત આટલા સબ્દો માં જ વ્યક્ત કરી છે.

વધુ અમે કશું કહી શકતા નથી  . . . !!

* * * * *

ગુજરાત કોન્ગ્રેશ માં તો આ વાક્ય પ્રાણવાયું છે, અહી જ આ વાક્ય નો જન્મ થયો હતો એવું પણ કેટલાક સંસોધનકારો કહી રહ્યા છે. . . . અહી એક જ વાત સાંભળવા મળે છે બીજો કઈ કરતો નથી અને મને કરવા દેતો નથી. . . !! ( . . . ભલે પછી પોતે જ પક્ષ સાથે જોડાયા ત્યાર થી ઉંગતા હોય એ અલગ વાત છે. . . )

અર્જુન મોઢવાડિયા વર્ષો થી એમ જ કહે છે કે " બાપુ કઈ કરતા નથી અને મને કોન્ગ્રેશ માં કઈ કરવા દેતા નથી. . . "

સામે પક્ષે બાપુ પણ એમ જ કહે છે કે " મોઢવાડિયા પોતે ક્યાં કઈ કરે છે તે મને કરવાનું કહે છે. . . ? " ( જોયું એક પક્ષ માં પણ કેટલા પક્ષો છે?)

ટૂંક માં સમસ્યા ના મૂળ એજ છે કે પોતે કઈ કરતો નથી અને કરવા દેતો નથી. . . !!

* * * * *

આપણા વિદ્યાલયો માં પણ આજ સમસ્યા છે કે શિક્ષકો પોતે પ્રયોગો કરતા નથી અને વિદ્યાર્થીઓ ને કરવા દેતા નથી. . . . !!

* * * * *


તમારી આજુ બાજુ નજર ફેરવો તો તમને અત્ર-તત્ર-સર્વત્ર આજ સમસ્યા જોવા મળશે : ~

" પોતે કાર ચલાવતો નથી અને મને ચલાવવા દેતો નથી . . . " - કાર ચલાવવા વાળા ની સમસ્યા.

" પોતે ચા પીતો નથી અને મારા માટે બનાવવા દેતો નથી . . ." - ચા ની ચૂસકી વાળા ની સમસ્યા.

" તે પોતાની બુદ્ધિ વાપરતો નથી અને મારી વાપરવા દેતો નથી . . . " - એક બુધ્ધ્દીશાળી પત્ની ની સમસ્યા.

" ડફોળ પોતે તો કઈ લખતો નથી અને મને લખવા દેતો નથી . . . ." - લેખક ની સમસ્યા મૂળભૂત આજ હોય છે.

" પોતે તો ફાસ્ટ ચલાવતો નથી અને મને સાઈડ કાપવા દેતો નથી. . . " - એક ફાસ્ટ ચાલક ની સમસ્યા.

અત્ર-તત્ર-સર્વત્ર : એક જ પ્રોબ્લેમ . . . . . . .  .

- હવે તમે જ કહો દેશ ની સૌથી મોટી સમસ્યા ગરીબી નથી પણ " પોતે. . .  નથી . . . અને મને . . . .  નથી. . . છે. સમજાયું ને - ખાલી જગ્યા તમારે પૂરી દેવાની . . . . !!

(Note : બધી જ તસ્વીરો નો સોર્સ : ઈંટરનેટ )

2 comments:

  1. ઘાસની ગંજી પરનો કુતરો વાર્તા ભણવામાં આવી હતી !
    મોતી નામનો કુતરો એક દિવસ ઘાસની ગંજી પર ચડી ગયો ને ઘાસ ખાતી ગાયોને ભસી ભસીને ભગાડવા લાગ્યો,તેને મઝા પડવા લાગી એટલે રાત દિવસ ભસ્યા જ કરતો,તેના ભસ ભસ થી ગામ દેશના લોકોને ઉજાગરા થવા લાગ્યા,લોકો ખુબ કંટાળી ગયા,એક ડાહ્યા માણસની સલાહ મુજબ ગામમાં વાઘ લાવ્યા,જે કુતરાને ખાઈ ગયો,પછી ખાધું પીધું ને રાજ કર્યું !

    ReplyDelete
  2. એક ડાહ્યા માણસની સલાહ મુજબ ગામમાં વાઘ લાવ્યા,જે કુતરાને ખાઈ ગયો,પછી ખાધું પીધું ને રાજ કર્યું !

    ~~ >> હા હા . . . . જબરી વાર્તા યાદ આવી, . . . . છેવટે બધા ની આવી જ હાલત થતી હોય છે. . . .!!

    Thanks for your comments.

    ReplyDelete