Monday, 10 November 2014

ગઈ ભેંસ એરપોર્ટ રન વે પે . . . .


સુરત એરપોર્ટ પર પહુંચ કે આપકો કૈસા મહેસુસ હો રહા હૈ . . . ?

 . . સુરત એરપોર્ટ ના રનવે પર ભેંસ ઘુસી ગઈ અને પછી તો બીજા દિવસે દુનિયા ભર ના પ્રિન્ટ મીડિયા પર છવાઈ ગઈ. . . !!

કેટલી નસીબદાર કહેવાય એ ભેંસ કે જેનું કોઈ નામ નથી પણ નામના મેળવતી ગઈ . . . . !

આટલી નાનકડી ઘટના ની કેવડી મોટી નોંધ લેવાઈ ગઈ. . . અને પછી તો લાગતા વળગતા સત્તાવાળાઓ ને ઘણું સાંભળવાનું થયું છે અને આ બાબતે અમારી તેમને સહાનુભુતિ છે એની ના નહિ. ( જોયું, અમે ફક્ત અને ફક્ત સહાનુભુતિ જ આપી શકીએ છે બીજું કઈ નહિ. . . .!!)

. . . .પણ અહી તમારે એક નાગરિક તરીકે ભેંસ ના દ્રષ્ટિકોણ ને સમજવો પડે છે. ( . . . એ વાત અલગ હોઈ શકે કે એક નાગરિક તરીકે તેમ ભલે બીજા નાગરિક ના દ્રષ્ટિકોણ ને ના સમજી શક્યા હોવ. . . . but, Please Don't mind it . . . . !!)

કેટલાક પ્રશ્નો ના જવાબ મળવા જ જોઈએ - 

1. આ રીતે ઘુસણખોરી કરવા પાછળ તેમનો મુખ્ય ઈરાદો શો છે? અને ભવિષ્ય માં બીજી કઈ રીતે હુમલા કે ઘુસણખોરી કરવામાં આવશે? બીજા કયા કયા શહેરો - રાજ્યો માં ભેંસો રનવે પર ઘૂંસ મારવાનો પ્રયત્ન કરી રહી છે?

2. શું આવી રીતે ભેંસો તરફ થી એરપોર્ટ રનવે પર ઘુસણખોરી થતી જ રહેંશે ? - કેટલી સંખ્યા માં? કઈ કઈ રીતે?

3. શું ભેંસ ને પ્લેન માં બેસવાની અદમ્ય ઈચ્છા હતી? શું પ્લેન માં બેસવું એજ તેના જીવન નો મુખ્ય ધ્યેય હતો?

4. શું એ ભેંસ પાઈલોટ પાસે ટ્રેનીંગ લેવા માંગતી હતી? - આખિર કયું?

ઘુસણખોરી કરવા પાછળ કયા જૂથ નો હાથ છે? - "સુરત ભેંસ વિકાસ મંડળે હજુ સુધી ઘુસણખોરી ની જવાબદારી કેમ નથી લીધી ? 

શું આ ઘૂંસ ગુજરાત કોંગ્રેસ ના કહેવાથી ભેંસે આવેશ માં આવી જઈને કરી હતી કે પછી બીજી કોઈ પાર્ટી એ તેને ઉક્સાવી હતી?

5. ચંદ્ર પર પગલું મુકીને નીલ આર્મસ્ત્રોન્ગે જાહેર કર્યું હતું કે - 

 " માનવ જાત માટે આ એક વામન પગલું છે. . . ."

પણ સમસ્ત ભેંસજાત માટે વામન પગલું છે . . . ?

તો શું ભેંસે એવું કોઈ વિધાન આપ્યું છે કે - " માનવો માટે આ એક તુસ્છ પગલું છે પણ સમસ્ત ભેંસજાત માટે વામન પગલું છે . . . ?, અથવા તો ભેંસ તો ગર્ભિત ઇશારો કઈ તરફ હતો?

6. શું કોઈ એ વિચાર્યું કે શા માટે ભેંસ રન વે પર ઘુસી કેમ ગઈ? શું એ પ્લેન ના પાઈલોટ ને ઓળખતી હતી? 

એક દેશ ના નાગરિક તરીકે શું તમારે આટલી કાળજી ના લેવી જોઈએ કે ભેંસ ને પણ આઈ કાર્ડ આપવામાં આવે? ( ખાસ ધ્યાન થી વાંચો - તમારે, નહિ કે મારે. . . . સમજ્યા?)

એવા કયા તો પરિબળો હતા કે જેથી તેણે પોતે આવું આકસ્મિક પગલું ભર્યું? ( - અહી જ તમે માર ખાવ છો, પગલું નહિ પણ પગલાં ભર્યાં . . . કારણ કે ભેંસ ને ચાર પગ હોય છે મય લોર્ડ, Mind It . . . . !! )

7. શું આ ભેંસ ની અહિંસક લડાઈ નથી?

8. ભેંસ ને શું પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર નથી?

9. જાહેર રસ્તાઓ પર અને અહી અમદાવાદ ના BRTS ના રસ્તા પર પણ ભેંસો પોતાનો અડ્ડો જમાવી રહી છે તો શું આ એમના તરફ થી એરપોર્ટ ને કબજે કરવાનું વામન પગલું કહી સકાય?

10. શું ભેંસ પોતે એકલી જ હતી ? હા તો -  કેમ? અને ના તો  - કેમ?

11. શું ભેંસ ની પછી ધરપકડ કરવામાં આવી હતી કે પછી તેને જામીન  પર છોડી મુકવામાં આવી હતી? 

અને ભેંસ ની પૂછ પરછ ની વિગતો કેમ જાહેર જનતા ને આપવામાં નથી આવતી? 

શું આ બાબત ની ઉચ્ચસ્તરીય તપાસ ના થવી જોઈએ? શા માટે કોઈ નવી SIT (Specila Investigation Team) બેસાડી ના સકાય ? ( . . . પછી ભલે વર્ષો સુધી એ SIT ઉભી ના થાય તો ચાલશે . . . !! )

12. શું ભેંસે પોતાના બયાન માં જણાવ્યું છે કે પોતાના પકડાઈ જવાથી સમસ્ત ભેંસ સમાજ પર આ બાબત ની કેવી અસર થશે? અને કેવા કેવા પડઘા પડશે?

13. જો ભેંસ ભૂલ થી રનવે પર આવી ગઈ હોય તો સરકારે " ભેંસ ભણાવો આંદોલન " કે " ભેંસ ભણાવો કાર્યક્રમ " શા માટે શરું કરવો ના જોઈએ? ટૂંકમાં સરકાર ના બીજા શું પ્રયાસો છે? 

14. ભેંસ એ ક્યાં ચાલવું અને ક્યાં ના ચાલવું જેટલું સામાન્ય જ્ઞાન પણ નથી? 

15. રાજકીય સ્તરે આ બાબત ની શું નોંધ લેવાઈ ? 

- શું બીજા રાજ્ય ના લોકો ને એવું લાગ્યું કે ગુજરાત ની ભેંસો બહુ ભણેલી છે? . . . અથવા તો એટલી અભણ છે કે ગમે ત્યાં ઘુસી જાય છે?

16. શું એ પકડાયેલી ભેંસ હવે પોતાની આત્મકથા લખશે? વિદેશ માં તો જો આવું બને તો ત્યાની સંસ્થાઓ કદાચ આવી ભેંસ ને નોબેલ પ્રાઈઝ પણ આપી દે. . . .પણ આપને ભારતીયો ને ભેંસો ની એટલી કદર હોતી નથી. . . રાઇટ ?

. . . કહેવાય છે કે ભારતીય પ્રજા ગમે તે બાબત માં સંતોસ માની જાય છે . . . !!
                     
- વેલ, દોસ્તો સવાલ ઘણા છે પણ જવાબ કદાચ આપણી પાસે નથી, . . . અને કદાચ મળશે પણ નહિ. . . . દેશ ની જનતા ની આજ તાસીર છે કે બિચારી પાસે ફક્ત સવાલો જ હોય છે જવાબો એક પણ નહિ. . . . !!

શું થાય હવે ભેંસ ને ગમ્યું એ ખરું, . . . . . !!

કેટલાક ભેંસ પ્રકરણ ના મારા ફેસબુક ના ફંડાઓ :


એક પત્રકાર ના ઈન્ટરવ્યુ ના અંશ . . . :)

" ભેંસ જી હમારે દર્સકો કો આપ બતાઈયે કી આપ વહા એરપોર્ટ રન વે પે કયું ગઈ થી? "
" હમકા લગા થા કી વહા પે વો બિહાર કા લલુઆ - લાલુ આ રહા હૈ, તો હમ જરા વહા રન વે પે ઉસ કા વિરોધ કરને ગઈ થી, ક્યુકી હમે ડર થા કી વો સુરતકા ભી ઘાંસ ચારા કહી ખા ન જાય. . . . લેકિન બાદ મેં હમ કા પતા ચલા કી કિસી ને હમ કા ગલત ઇન્ફોર્મેશનવ દિયા થા, . . . પ્લેન મેં લાલુ નહિ આયા થા ઔર મેં ફાલતું મેં પકડી ગઈ. . . ઔર બાત કા બતંગડ બન ગયા. . . . !!

* * * * *


" ક્યા લગતા હૈ આપકો ? "
" ઇસ મેં લગના ક્યા હૈ . . . ? બાત બિલકુલ સાફ હૈ કી ભેંસ ઔર પાઈલોટ દોનો મિલે હુએ થે . . . . " 

( બેશક આ જવાબ શ્રીમાન કેજરીવાલ નો જ હોય . . . )

* * * * *
દેશ ની જનતા આજે એ ટીવી ચેનલો નો આભાર માને છે કે જેમણે એવું જરા પણ ના દર્શાવ્યું કે - " જુઓ સુરત માં ઉડતી ભેંસ દેખાઈ . . . !! "

* * * * * 


After Buffalo Effect : ~
. . . અને કવિ એ કવિતા નો શુર બદલી નાંખ્યો છે. . . . .
Mind It . . . 

જુનો શેર નવી બોટલ માં . . . . :)
                     

# ગઈ ભેંસ એરપોર્ટ રન વે પે . . . . 

No comments:

Post a Comment