| મને તો એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે? |
તમને સમજાતું હો તો ભલે,
બાકી,
મને તો એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?
ચૂંટણી ના ભણકારા વાગે ત્યારે જ કેમ,
ગામ માં નેતાઓ ના પગરવ સંભળાય છે?
ચાર વર્ષ આખા કોરા ધાકોળ જાય અને,
પાંચ માં વર્ષે બધી યોજનાઓ અપાય છે?
ગરીબો ભૂખમરા થી મરી જાય સદીયો થી,
ફક્ત ચૂંટણી વખતે જ તેમની ચિંતા કેમ નેતાઓ ને થાય છે?
પ્રમાણિક અને લાયક લોકો ફક્ત વોટ આપે અને,
બેશરમ, નફફટ, નાલાયકો કેમ ગામે-ગામ પૂજાય છે?
સદાચારીઓ ને સીટ મળવાનાયે ફાંફાં,
અને ભ્રષ્ટાચારીઓ ચૂંટણી જીતી જાય છે?
તમને સમજાતું હો તો ભલે,
બાકી,
મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે . . . . ?
~ નિમેષ 15.03.2014, શનિવાર
( તસ્વીર પ્રતિકાત્મક છે, સોર્સ : ઈન્ટરનેટ )
No comments:
Post a Comment